ख़्वाहिश જેનું આગમન છે; એનું ગમન નિશ્ચિત છે,
એ પ્રકૃતિનો સ્વભાવ છે.
અને ગમતાને પકડી રાખવું એ
માણસનો સ્વભાવ છે.
માણસ એ પ્રકૃતિ નથી, પણ પ્રકૃતિનો એક અંશ માત્ર છે.
એટલે જ્યારે પણ
પરિવર્તન અને અપરિવર્તન વચ્ચે ઘર્ષણ થાય
ત્યારે જીત પરિવર્તનની જ થાય.
પણ એનો સ્વીકાર સહર્ષ કરવો કે ઉદાસ થઈને
એના માટે માણસ સ્વતંત્ર છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી"
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here