જે મનમાં આવે એજ લખું છું
હું હૃદયને સ્પર્શે એજ લખું છું
નથી આ મારો વ્યવસાય, ને લખું
હું ઉપરથી વરસે એજ લખું છું
સરવાળા બાદબાકી કરતો નથી
હું જાહેરમાં વંચાશે એજ લખું છું
રદિફ કાફિયા મતલા છંદ એટલે શું?
હું અંતર તરસે એજ લખું છું
જે મનમાં આવે એજ લખું છું
હું મને ભીંજવે એજ લખું છું
જયકિશન દાણી
બોટાદ
૧૨-૦૧-૨૦૨૪
©Jaykishan Dani
#feather